30 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : સાઠંબાના અજબપુરા ગામે કૂવામાંથી યુવકની લાશ મળી, મોતનું કારણ અકબંધ


અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં અજબપુરા ગામે સીમમાં એક કુવામાંથી કલાજીના મુવાડાના ભાણેજની લાશ મળતા અનેક તર્ક વિતર્ક લોકોમાં થઈ રહ્યા છે. સાઠંબા નજીક અજબપુરા ગામમાં સીમમાં આવેલા ધીરજભાઈ પરસોત્તમભાઈ પટેલના કુવામાં કલાજીના મુવાડાના ભાણેજની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.

Advertisement

વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા નજીક આવેલા કલાજીના મુવાડા ગામે રહેતા ભાણેજ રાહુલસિહ પ્રવીણસિંહ ઝાલા ઉં. વ. 19 છેલ્લા બે દિવસથી ઘરે કોઈને કહ્યા વગર ગુમ હતા તેમના મોસાળના સગાઓ તેમની શોધખોળ ચલાવી રહ્યા હતા ત્યાં અચાનક શનિવારે સવારે અજબપુરા ગામના પટેલ ધીરજભાઈ પરસોતમભાઈના સીમમાં આવેલા કુવામાં એક લાશ હોવાનું જાણવા મળતાં મરનારના સગાઓએ ત્યાં તપાસ કરતા લાશ રાહુલસિહ પ્રવિણસિંહ ઝાલાની હોવાનું જણાઈ આવ્યું હતું મરનાર યુવક મુળ કાળાજીના મુવાડા તા બાયડ નો હતો પરંતુ વર્ષોથી તેના મોસાળ કલાજીના મુવાડા રહેતો હતો. જોકે યુવકના મોતનું કારણ જાણવા મળ્યું નથી

Advertisement

સાઠંબા પોલીસને ઘટના અંગે સુરસિંહ ફતેસિંહ બારૈયા હાલ રહે કલાજીના મુવાડા. મૂળ રહે કાળાજીના મુવાડા તાલુકો બાયડ એજાણ કરતાં સાઠંબા પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી 80 ફૂટ ઊંડા કૂવામાંથી લાશને બહાર કઢાવી હતી પરંતુ લાંબા સમય લાશ પાણીમાં રહેવાથી ફોગાયેલી હાલતમાં હોઈ સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સાઠંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!