35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ઘડપણમાં ચારિત્રના દાનવનો સળવળાટ : લાકડીનો ટેકો બનાવના બદલે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા


અરવલ્લી જીલ્લામાં લોકો એકબીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ નિર્દયી બની હત્યા કરતા ખચકાતા નથી જીલ્લામાં સમયાંતરે હત્યાના બનાવો બની રહ્યા છે મેઘરજ તાલુકાના જામગઢ ગામમાં શંકાશીલ સ્વભાવ ધરાવતા વહેમીલા 60 વર્ષીય પતિએ વહેમના લીધે ઘરકંકાસ જેવી સામાન્ય બાબતે પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી હતી જામગઢમાં હત્યાના બનાવના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યારા પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, મેઘરજના જામગઢમાં રહેતા કાંતિભાઈ દોલાભાઈ મનાત શંકાશીલ સ્વભાવ હોવાના પગલે તેની પત્ની સવિતા બહેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો રવિવારે રાત્રે કાંતિના મગજમાં ફરીથી વહેમનો કીડો સળવળાટ કરતા ઘર બહાર ખાટલામાં ઉંઘતા સવિતા બેન પર કુહાડીના ઘા પર ઘા ઝીંકી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી હતી પતિએ પત્નીની હત્યા કરતા આજુબાજુમાં રહેતા લોકો અને પિયરપક્ષના લોકો તાબડતોડ ઇસરી પહોંચ્યા હતા પુત્રીની હત્યા થયાની જાણ થતા ભાંગી પડયા હતા અને રૉક્કોકળ કરી મૂકી હતી જામગઢમાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખતા ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!