ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ વિવિધ રાજકીય પક્ષો જનતા પાસે પહોંચવાનો પ્રયાસ કરે છે, જેમાં આ વખતે આપ પાર્ટી ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહી હોય તેવું લાગે છે, અને આપની રેલીમાં જન સૈલાબ પણ ઉમટી રહ્યું છે. હાલમાં જ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને મફત વીજળી આપવાની જાહેરત કરતા જ રાજકીય ભૂકંપ મચી જવા પામ્યો છે, જો કે ભાજપ આ બાબતે કંઇ જ બોલવા તૈયાર ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. મોડાસાની મુલાકાતે પહોંચેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું કે, જનતાના આશીર્વાદ અમારી પર છે જ.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી મોડાસાની મુલાકાતે પહોંચ્યા હતા, કોલેજ કેમ્પસમાં ભામાશા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મફત વીજળ આપવાના વાયદા પર નિવેદન આપ્યું હતું. મીડિયાના આ સવાલના જવાબમાં જણાવ્યું કે, રાજ્યની જનતાના અવિરતપણે આશીર્વાદ એ જ અમારી માટે સર્વોપરી છે. જનતા જનાર્દનનો દરબાર તે અમારા માટે સર્વોપરી છે.
સાંભળો જીતુ વાઘાણીએ શું કહ્યું…
અરવિંદ કેજરીવાલના મફત વીજળી આપવાના વાયદા પર સ્પષ્ટ રીતે જીતુ વાઘાણીએ કંઇ જ કહેવાનો ઇનકાર કર્યો હતો, અને માત્ર જનતા જનાર્દન જ સર્વોપરી હોવાનું નિવેદન આપ્યું હતું.