ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોએ ફરીથી એક વાર રાજ્યમાં ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો મેળવી સરકારી લાભ મેળવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પ્રમાણપત્રો રદ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓએ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી મેઘરજ મામલતદારને આદિવાસી સમાજ એકતા સંગઠનના નેજા હેઠળ આવેદનપત્ર આપ્યું હતું
વિજયનગર નાયબ મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ વિજયનગર મામલતદાર મારફતે મુખ્યમંત્રીને લખાયા આવેદનપત્રો ખોટા જાતિ પ્રમાનપત્રોને લઈ 19-2-2020ના રોજ સરકાર સાથે થયુ હતું સમાધાન બાદ કોઈ કાર્યવાહી ન થતા ફરીથી આદિવાસી સંગઠનો મેદાને આવું પડું ખોટા પ્રમાનપત્રોને લઈ સાચા આદિવાસીઓ ને નોકરી, શિક્ષણ અને સરકારી લાભમાં મુશ્કેલી સાચા આદિવાસીઓને લાભ મળે તે માટે વિજયનગર તાલુકાના સ્થાનિક લોકોએ રજૂઆત કરી જેમાં આગેવાન રૂપશીભાઈ નિનામા, સુરેશભાઈ હોથા, અશ્વિનભાઈ ડામોર. આનંદભાઈ ડામોર,તેમજ યુવાનો પણ જોડાયા હતા.