અનાજ તેમજ કઠોળ પર લાગેલ જીએસટીને લઈને હિંમતનગર કરિયાણા એસોસિએશનના 170 થી વધુ દુકાનદારોએ દુકાન બંધ રાખી વિરોધ બતાવ્યો
સરકાર હવે દિવસે દિવસે પ્રજા પર મોંઘવારીનો બોજ નાખતી જાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનાજ તેમજ કઠોળ પર 5% જીએસટી લગાવવાનો નિર્ણયને લઈ ને હિંમતનગરના કરિયાણા એસોસિએશન ના વેપારીઓએ તમામ દુકાનો બંધ રાખી સરકાર સામે અનાજ તેમજ કઠોળ પર લગાવેલ જીએસટીને લઈને ભારે વિરોધ કર્યો હતો અને રોષ ઠાલવ્યો હતો.
દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ત્યાં ગરીબવર્ગ તેમજ મધ્યમ વર્ગના પરિવારને મોંઘવારીના કારણે ઓછા વેતનમાં ઘર સંસાર ચલાવા મા ખૂબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઇ છે તેવા મા કેન્દ્રસરકાર દ્વારા અનાજ તેમજ કઠોળ પર પાંચ ટકા જીએસટી લગાવવાના નિર્ણયને લઈને પ્રજા પર વધુ એક મોંઘવારીનો બોજ નાખ્યો છે.
5% જીએસટી ના મુદ્દાને લઈ ને હિંમતનગર કરિયાણા વેપારી એસોસિએશનના 170થી વધુ દુઆકનાદરો એ દુકાનો બંધ રાખીને વિરોધ બતાવ્યો હતો અને સાથે દુકાનદારોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે જીએસટી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વેપારીઓ પર તો મોંઘવારીનો બોજ પડવાનો જ છે પણ દેશની જનતાને પણ આ મોંઘવારી નો ભારે બોજ પડશે તેમ જણાવ્યું હતું.