પંજાબના ભટિંડાના રામામંડીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે. તોફાની તત્વોએ ગાંધી પાર્કમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને સંપૂર્ણપણે તોડી નાખી હતી.તોફાની તત્વો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિમા તોડી પાડવાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં લોકો પાર્કમાં ઉમટી પડ્યા હતા. બાદમાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
મ્યુનિસિપલ પાર્કમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આજુબાજુના લોકો સવારે અને સાંજે પાર્કમાં બેસવા માટે આવે છે, જ્યારે બાળકો અહીં રમવા માટે આવે છે. સવારે જ્યારે લોકો પાર્કમાં આવ્યા ત્યારે રાષ્ટ્રપિતાની પ્રતિમાને કોઈએ તોડી નાખી તે જોઈને તેઓ ચોંકી ગયા હતા.
ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આસપાસના સમગ્ર વિસ્તારમાં તપાસ કરી હતી. અસામાજિક તત્વો પ્રતિમાના કેટલાક ભાગને પોતાની સાથે લઇ ગયા હોવાનું માનવામાં આવે છે જોકે પોલીસ બદમાશોને શોધી રહી છે.
એસએચઓ હરજોત સિંહ માનએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતાની પ્રતિમા સાથે આવું વર્તન હિતકારી નથી. આ અસામાજિક તત્વો પાછળનો ઈરાદો શું છે તે પોલીસ શોધી રહી છે. અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પાર્કની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં બદમાશો સુધી પહોંચી જશે.
તેમણે વહીવટીતંત્ર અને સરકાર પાસે આ ઘટના માટે જવાબદાર આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. પોલીસ વડાએ લોકોને શાંતિ જાળવવાની અને ગુનેગારોને જલ્દી પકડવાની ખાતરી આપી હતી. પોલીસ ગુનેગારોને ઓળખવા માટે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે.