શ્રાવણ મહિનામાં ઘણાં તહેવારો આવતા આવતા હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભક્તો દર્શન કરવા માટે ભક્તો મંદિરોમાં જતા હોય છે ત્યારે મોડાસાના મિની ઉંઝા તરીકે ઓળખાતા ઉમિયા મંદિરે ભક્તો પહોંચતા હોય છે. દર વર્ષે પદયાત્રીઓ ઉમિયા મંદિરે પહોંચતા હોય છે ત્યારે આ વર્ષે પણ 250 થી વધારે પદયાત્રીઓનો સંઘ મોડાસાના ઉમિયા મંદિરે આવવા રવાના થયો હતો.
કચ્છ કડવા પાટીદાર સમાજની કુળદેવી એટલે ઉમિયા માતાજી. આ ઉમિયા માતાજી પર ભક્તોની અતૂટ શ્રદ્ધા હોય છે ત્યારે મોડાસાના ઉમિયા મંદિરે પરંપરાગત રીતે ભિલોડાના નાપડા કંપાથી પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના મંદિરે આબાલવૃદ્ધ સૌ કોઈ ભક્તો પગે ચાલીને પોતાના સંકલ્પ પૂર્ણ કરવા પ્રસ્થાન કર્યું હતું
નાપડા કંપાથી નિકળેલા સંઘમાં આસપાસના દસ થી વધારે કંપાના પદયાત્રીઓ જોડાયા હતા. મહિલાઓએ માથે ગરબે મુકી, સૌકોઇ પદયાત્રીઓના હાથમાં માતાજીની ધજા જોવા મળી હતી. ધજા અને ગરબા લઇને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ આ પદયાત્રામાં જોડાયા હતા અને મોડાસાના ઉમિયા મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ધજા ચઢાવી માતાજીની પૂજા કરી હતી.