35 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા: કાળજું કંપાવનાર ઘટના, ગાંભોઇ પંથકમાં નવ જાત શિશુને જીવતું દાટી દેવાયું


ઘોર કલિયુગ, લાગી રહ્યું છે કે માનવતા સાવ મરી ગઈ

Advertisement

રામ રાખે તેને કોણ ચાખે,કુદરત એ ખેતર માલિક ને બુદ્ધિ સુજાડી કે શુ?ખરા સમયે પહોંચી બાળકીને બહાર કાઢી ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલમાં મોકલી આપ્યું

Advertisement

રાજ્યમાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ બહાર આવતી રહે છે ત્યારે આજરોજ હિંમતનગર શહેરના ગાંભોઈ માં જીઇબી પાસે આવેલા એક ખેતરમાં ખેતરના માલિક ખેતકામ માટે ગયા હતા ત્યારે તેમના ખેતરમાં જમીનમાં ની માટી હલતી હતી ત્યારે ખેતર માલિકને આશ્રય લાગતા તેમણે જગ્યા પર જઈ તપાસ કરતા તેમના હોશ ઉડી જાય તેવા દ્રશ્યો તેમની નજર સમક્ષ જોયા.

Advertisement


ખેડૂતે માટી ખોદી જોતા જમીનમાંથી જીવિત નવજાત શિશુને કોઈ નિર્દય વ્યક્તિ દાટીને જતું રહ્યું હતું. ત્યારે આ વાતની જાણ આસપાસના લોકોને એકઠા થઈ ગયા હતા અને બાદમાં 108 ને જાણ કરાતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યું હતું હાલ બાળકને હિંમતનગર સિવિલમાં એન.આઈ.સી.યુ ડિપાર્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ હેઠળ રાખવામાં આવેલ છે અને આ બાળક કોના દ્વારા ત્યજી દેવામાં આવ્યુ છે તે અંગે સવાલો ઊભા થયા છે.

Advertisement

આશ્ચર્ય જનક વાત તો એ છે કે જમીનમાં દાટી દેવાયું હોવા છતાં પણ નવજાત શીશુ જીવિત હતું ત્યારે આ વાતની જાણ સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!