28 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લીઃ ધનસુરા ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અર્બુદા સેના સંમેલન યોજાયું


ધનસુરા ખાતે ગુજરાત રાજ્ય ના પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશન ના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને અર્બુદા સેના સંમેલન યોજાયું હતું.જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના આંજણા ચૌધરી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિપુલભાઈ ચૌધરી અને અર્બુદાસેના દ્વારા તિરંગા પદયાત્રા પણ યોજવામાં આવી હતી.આ પદયાત્રા ધનસુરા ચાર રસ્તા થી શ્રી જે.એસ.મહેતા હાઈસ્કૂલ ધનસુરા સુધી યોજાઈ હતી. વિપુલભાઈ ચૌધરી નું ધનસુરા ખાતે આગમન થતાં ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે વિપુલભાઈ ચૌધરી એ ધનસુરા ચાર રસ્તા ખાતે આવેલ અંબેમાતાજી ના મંદિરે દર્શન કર્યા હતા.આંજણા ચૌધરી સમાજની એકતા અને અસ્મિતાને ઉજાગર કરવા સમગ્ર ગુજરાત માં ગામ, તાલુકા અને જિલ્લાકક્ષાએ અર્બુદા સેના ની રચના કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમ વિપુલભાઈ ચૌધરી ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો,યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!