33 C
Ahmedabad
Friday, April 26, 2024

અમરેલી: દીર્ઘાયુ મહાયજ્ઞના આયોજનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કાર્યકર્તાઓની બેઠક મળી


અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાજી અને સાંસદ નારણભાઈ કાછડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વજલપરા પટેલ જ્ઞાતિ વાડી ખાતે આગામી તારીખ 17 સપ્ટેમ્બર 2022 ના રોજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા દીર્ઘાયુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેર – તાલુકા અને લીલીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ નગરપાલિકા, જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટી સેલ મોરચાના આગેવાનો કાર્યકર્તાઓ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ તકે ઉત્તર પ્રદેશ થી પધારેલ પ્રવાસી કાર્યકર્તા રાજેશભાઈ તિવારીજી તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઈ માલાણી, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિંછીયા, અમરેલી જિલ્લા અ:નું મોરચાના પ્રમુખ  કેશુભાઈ વાધેલા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્ય  ભીખાભાઈ ધોરાજીયા, અમરેલી જિલ્લા ડાયમંડ પ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, ભાજપ અગ્રણી પોપટભાઈ બુહા,બોરાળા ગામના સરપંચ અતુલભાઇ રાદડિયા જીલ્લા યુવા ભાજપ મંત્રી મયુરભાઈ ખાચર, જીલ્લા વેપારી સેલ સંયોજક સંદીપભાઈ ભટ્ટ, અમરેલી જિલ્લા આઈટી મીડિયાના સહ કન્વીનર  જીતુભાઈ લાઠીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર યુવા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોશી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાલાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ બારૈયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!