37 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસા નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ તસ્કરોને આમંત્રણ આપી રહી છે..!! રત્નદીપ થી ઋષિકેશ સોસાયટીમાં અંધારપટ, તસ્કરોને મોકળું મેદાન


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા સંચાલીત મુખ્યમાર્ગો તેમજ સોસાયટી વિસ્તારમાં લગાવેલ સ્ટ્રીટ લાઈટ છાસવારે કેટલાક વિસ્તારો સહીત મુખ્ય બજારમાં બંધ રહેતા તસ્કરો અને ઘરફોડ ચોરી કરતી ગેંગ ફાવી જતી હોય છે મોડાસા શહેરમાં કોઈ રણીધણી જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટીની સ્ટ્રીટ લાઈટ અગમ્ય કારણોસર બંધ રહેતા વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રત્નદીપ થી ઋષિકેશ સોસાયટી રોડ પર પડેલા ખાડાઓનું સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા બંને સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર પશુઓનો અડીંગો હોવાથી વાહનચાલકોના માથે અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે ઉપરાંત સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રે મહિલાઓ બાળકોને સિનિયર સિટીઝનનો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ આ રોડ ઉપર ટયુશન ક્લાસમા વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે, ત્યારે આ પ્રત્યે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે રત્નદીપ થી ઋષિકેશ સોસાયટી રોડ પરથી રાત્રે અંધારામાં પસાર થવું ભયજનક બન્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!