ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ભિલોડા, નવા ભવનાથના હોદ્દેદારો ધ્વારા સર્વ પિતૃ શ્રાધ્ધ પર્વ નિમિત્તે ભોજન સમારંભનું આયોજન કરાયું
નવ નિયુંક્ત ઉન્નતી ચેરીટેબલ ટ્રસ્ટ,ભિલોડા,નવા ભવનાથના સર્વે હોદ્દેદારો ધ્વારા શ્રાધ્ધ પર્વ નિમિત્તે સર્વ – પિતૃ શ્રાધ્ધ નિમિત્તે નવા ભવનાથ ગામની જે વિધવા બહેનો છે જે તેઓના પતિનું શ્રાધ્ધ ના કરી શકતા હોય તેઓ માટે દુધ – પુરી બનાવડાવી ને શ્રાધ્ધ પર્વની ઉજવણી કરાઈ હતી.નવા ભવનાથ બાલમંદિરના ભુલકાઓને જમાડયા હતા.સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ચોમેર પ્રસરી ગઈ હતી.
ઉન્નતી ચેરીટેબલ ટ્રસ્ટ,નવા ભવનાથ,પ્રમુખ રવિન્દ્ર ઠાકોર,ભરતભાઈ ઠાકોર,રાજુભાઈ રાઠોડ,નિલેશભાઈ મકવાણા,ઈશ્વરસિંહની સમગ્ર સેવાભાવી ટીમ ધ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ભગીરથ આયોજન અને સેવાકીય કાર્યનો શુભારંભ ઉત્સાહભેર યોજાયો હતો.