37 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર: નસવાડીમાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, કેનાલ બની પણ પાણી ન મળ્યું..!!


નસવાડી તાલુકા માથી નર્મદા ની મુખ્ય કેનાલ પસાર તો થાય છે , પણ એ જ વિસ્તાર ની આસપાસ ના ખેડૂતો સિંચાઇ ના પાણી વગર વર્ષો થી વલખા મારી રહ્યા છે. કપાસ ની ખેતી કરતા ખેડૂતો ઊભા મોલ ને જોઈ સરકાર ને કોશી રહ્યા છે .

Advertisement

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માંથી નર્મદા ની મુખ્ય કેનાલ પસાર થાય છે. પરંતુ આજ વિસ્તાર ના ખેડૂતોને સિંચાઇનો લાભ આજ દિન સુધી મળતો ના હોવા નો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. સરકારે ખેડૂતો ને સિંચાઇ નો લાભ મળે તે માટે વર્ષો પહેલા તેમના જ ખેતરો નજીક કરોડો ના ખર્ચે માઇનોર કેનાલો તો બનાવી પરંતુ પાણી કેનાલ માં ના આવ્યું. ત્યાર બાદ ફરી UGPL યોજના અંતર્ગત આ વિસ્તાર માં અંડર ગ્રાઉન્ડ લાઈનો નાખી ત્યારે ખેડૂતો ને એક આશા બંધાઈ કે હવે તેમને સિંચાઈ નું પાણી મળશે પણ એ આશા પણ ઠગારી નીવડી એટલે કે સરકાર ના કરેલા કરોડોનો ખર્ચ પાણી મા ગયો અને ખેડૂત ને ટીપું પાણી ના મળ્યું.

Advertisement

નસવાડી તાલુકા માંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ અહી થી 500 કી. મી દૂર સુધી જાય છે. પરંતુ નર્મદા ની મુખ્ય કેનાલ જે 500 મીટર ના અંતરે થી પસાર થાય છે ત્યાં ખેડૂતો ના ખેતર મા સિંચાઇ નું પાણી નથી પહોચતું .

Advertisement

સારા પાક થવાની આશા એ ખેડૂતો ક્રોપ લોન લઈ, દેવું કરી ઉછીના પૈસા મેળવી ખેતી તો કરી નાખી છે પણ જ્યારે પાણી ની અછત ઊભી થાય છે અને પાક સુકાય છે ત્યારે ખેડૂતો કપરી સ્થતિ માં મુકાય જાય છે. તેમનું કરેલ દેવું કે ઉછીના લીધેલ પૈસા કેમ કરી ને પરત કરશે તેની ચિંતા આ વિસ્તાર ના દરેક ખેડૂતો ને સતાવે છે. ખેડૂતો પાણી આપો પાની આપો ની પોકાર કરી નર્મદા નિગમ પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે માંગ કરી રહ્યા છે

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!