31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સુખોઈ અને મિરાજ ફાઈટર ટકરાયા, બે પાઈલટ સુરક્ષિત, એક શહીદ


મધ્યપ્રદેશના મુરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયાની ઘટનામાં એક પાયલટ શહીદ થયા છે જ્યારે 2 પાયલને ઈજાઓ પહોંચી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી, ત્યારે મધ્યપ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા હતા, બે વિમાનમાંથી એક મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં અને બીજું રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પડ્યું હતું.

પ્રશાસને કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા બંને પાયલટોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ભરતપુરના પિંગોરા ગામમાં પડેલા મિરાજના પાયલોટનું મોત થયું છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, “એક સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.” IAFએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

મોરેના એસપીએ જણાવ્યું હતું કે, “બે જેટ – મિરાજ અને સુખોઈ – સવારે ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના અનુસાર, એક વિમાનમાં બે પાઈલટ હતા, જ્યારે બીજામાં એક હતો. 2ને સુરક્ષિત રીતે બચાવી લેવાયા, ત્રીજાના શરીરના અંગો મળી આવ્યા.

IAFએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે ગ્વાલિયર પાસે ક્રેશ થયા હતા. વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. તેમાં સામેલ 3 પાઇલોટમાંથી એકે જીવ ગુમાવ્યો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!