30 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સાબરકાંઠા : હિંમતનગર ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓનો હોબાળો , શોભાના તેરી ખેર નહીંના નારા,ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માંગે


સાબરકાંઠા ભાજપ પ્રમુખે પાર્ટીને નુકશાન થાયા તેવા વીડિયો અને મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ નહીં કરવા કાર્યકર્તાઓને વિનંતી કરી હતી

Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે ઉકળતો ચરૂ બની રહી છે ભાજપે સૌપ્રથમ ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને જાહેર કર્યા બાદ અટકને લઈને ઊભા થયેલ વિવાદ પછી તેમના સ્થાને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ભાજપમાં પક્ષ પલટો કરનારના પત્ની શોભાના બેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ભાજપના કેટલાક અગ્રણીઓ એક બાજુ આયાતી ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે બીજીબાજુ અરવલ્લીમાં ભીખાજી ઠાકોરને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે ત્યારે વધુ એક વાર હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ પહોંચી હોબાળો મચાવ્યો હતો

Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ચાલતા આંતરવિગ્રહ વચ્ચે ઉમેદવાર શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી વિજય બનાવવા ભાજપ દ્વારા ચૂંટણી રણનીતિ માટે તૈયારીઓ હાથધરાઈ છે જે અંતર્ગત હિંમતનગર તાલુકા સંગઠનની બેઠક હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ત્યારે પત્રકાર મિટિંગનો વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલા પ્રમાણ ભાન ભૂલી પત્રકાર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા ભાજપના પાયાના અગ્રણી કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાથે ચકમક થતાં ભાજપના સનિષ્ઠ કાર્યકરો સામસામી ઉઠ્યા હતા અને સોશ્યલ મીડિયામાં સાબરકાંઠા અને અરવલ્લી ભાજપ પાર્ટી જાહેર આમંત્રણ સાથેની પત્રિકા વાઈરલ કરી હતી. જેમાં અપમાન બદલ હિંમતનગરના ધારાસભ્યના વિરોધમાં આવેદનપત્ર આપી માફી માગે નહિ તો રાજીનામું આપે તેવી માગ સાથે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થવાની જાણ કરી હતી જે અનુસંધાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ભાજપ પ્રમુખને આવેદન પત્ર આપી ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માંગેની ઉગ્ર રજૂઆત કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લામાંથી ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં વાહનો ભરી ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પહોચ્યા હતા અને ભાજપની ટોપી અને કેસરિયો ખેસ ધારણ કરી આયાતી ઉમેદવાર શોભાનાબેન બારૈયાની ઉમેદવારી રદ કરવામાં આવેની માંગ સાથે શોભાના તેરી ખેર નહીંના સુત્રોચાર કરી સાબરકાંઠા બેઠક પર એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલેના સુત્રોચાર કર્યા હતા ભાજપનું મોવળી મંડળ કાર્યકર્તાઓ નો રોષ કઈ રીતે ઠારવો તેની વિમાસણમાં મુકાયું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!