આપ પાર્ટીએ પ્રેસ નોટ જારી કરી ખેડૂતો,પશુપાલકોના હિતમાં વીજળી ને લઈને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જાય છે, 16 કલાકમળતી વીજળી ઘટાડતા ઘટાડતા 8 કલાક કર્યા પછી હવે કાયમી ધોરણે 6 કલાક કરવા માંગતી હોય એવા સાફ લક્ષણો દેખાય છે. કૃષિમંત્રી અને ઉર્જામંત્રીની બેઠકમાં અધિકારીઓને કડક સૂચના અપાયાનું નાટક કર્યા પછી વીજળી તો 6 કલાક, એ પણ ત્રુટક ત્રુટક અપાય છે. જો આમ જ ચાલે તો ગુજરાતમાં ખેતી અને ઘાસચારાના વાવેતરને અભાવે પશુપાલન ખતમ થઇ જાય.

આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર અને ગુજરાતના ગામડાના ખેડૂતો અને પશુપાલકોને મીડિયાના માધ્યમથી સાફ જણાવવા માંગે છે કે,
1: જ્યાં સુધી ખેતીમાં 12 કલાક વીજળી પુરવઠો આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વીજળી બિલ નહીં ભરે,
2: જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોના વીજ-કનેકશન કાપશે તો “આપ”ના નેતાઓ જાતે જઈને ખેડૂતોના વીજ કનેકશનો જોડી આપશે.
3: ખેડૂતો સહિતના ગ્રામજનોને વિનંતી છે કે જ્યાં સુધી ખેતી માટે 12 કલાક વીજળી આપવાની જાહેરાત ના થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને ગામ કે સીમમાં પ્રવેશ કરવા દેશો નહીં.
4: જો ગુજરાત સરકાર ખેડૂતોનો વીજ-પુરવઠો બંધ કરશે તો ના-છૂટકે અમારે ઔધોગિક અને શહેરી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકારે, એના ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે.
5: આમ છતાં, જો ગુજરાત સરકાર ખેડૂતોને = કલાક વીજળી આપવાની . જાહેરાત નથી કરતી તો ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં આમ-આદમી પાર્ટી નાછૂટકે, છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે. તેવું મીડિયા પ્રેસ નોટ જારી કરી જણાવ્યું હતું.