ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિઓ, મળતિયાઓને રૂપિયા લઇને નોકરી આપવાની બાબતો તેમજ પેપર ફૂટવાના અનેક મામલાને લઈને આંદોલન ચલાવી રહેલા અને આપ પાર્ટી સાથે સંકળાયેલા યુવરાજસિંહ જાડેજા ની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી. આજ બપોરના સમયે આજરોજ વિદ્યાસહાયકોની ભરતીમાં માગણી સાથે આંદોલન કરી રહેલા યુવાન યુવતીઓને મળવા યુવરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી.
ખાસ કરીને એક વિદ્યાર્થીની પોલીસે અટકાયત કરતાં તે બેભાન થઈ ગઈ હતી. ઉપસ્થિત વિદ્યાસહાયક યુવક-યુવતીઓમાં પણ પોલીસના વર્તન સામે ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ બધાને કારણે ઉપસ્થિત યુવરાજ સિંહ જેવા નેતાઓને પોલીસ ત્યાંથી હટાવવા માંગતી હતી . આ બધા પરિણામે કોઈ ષડયંત્ર હેઠળ તેમને ફસાવવાના ભાગરૂપે તેમના પર કલમો લગાવીને તેમની અટકાયત કરવામાં આવી છે, એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે એક ટીવી ચેનલના અહેવાલ મુજબ આપ પાર્ટી સાથે સંકળાયેલા સિનિયર વકીલ યુવરાજ સિંહને છોડાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
હજુ આ મામલે વધુ વિગતો બહાર આવી રહી છે અને પોલીસનું યુવરાજસિંહ અંગેનું નિવેદન પણ કેટલાક વિરોધાભાસથી ભરેલું છે. નોંધનીય છે કે છેલ્લા બે-ત્રણ વર્ષથી યુવરાજ સિંહનું કાર્ય યુવાનોમાં અને ખાસ કરીને બેરોજગાર ગુજરાતી યુવાનોમાં ઘણો જ લોકપ્રિય બની રહ્યું છે અને ભાજપ સરકારની બેઇજ્જતી પણ ખૂબ જ થઈ રહી છે ત્યારે પોલીસ બળનો ઉપયોગ કરીને યુવરાજ સિંહ જેવા ન્યાયપ્રિય અને સત્યપ્રિય યુવા નેતા ને દબાવવા ભાજપ ગમે તે હદે જઈ શકે છે તેવું આજના યુવાનોએ સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવી ને જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવરાજસિંહ અટકાયતનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.