કોર્ટનો ચુકાદો : ગેંગરેપના 3 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ,52 દિવસમાં કેસનો ફેંસલો
Advertisementજિલ્લામાં બે દુષ્કર્મ અને બે હત્યા મળી કુલ 4 કેસોનો ચુકાદો
Advertisement
આ કેસમાં પોલીસે માત્ર 24 કલાકમાં ચાર્જશીટ કરી હતી અને 12 મુદ્દતમાં માત્ર 52 દિવસમાં કેસનો ફેંસલો આવ્યો હતો. તેમજ ગારીયાધાર પંથકની સગીરા દુષ્કર્મ આચરનારા અનિશ નારસિંગ ડુભલી (રહે. નાસવાડી, જી. છોટાઉદેપુર)ને ભાવનગરના બીજા એડી. સેશ.જજ અને સ્પે. પોક્સો જજ એ.બી. ભોજકની કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા તથા ભોગબનનારને વળતર પેટે રૂ. 6 લાખ ચુકવવા હુકમ કર્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા ઘોઘાના ગોરીયાણી ગામે કૌટુંબિક આદાવતની દાઝે લક્ષ્મણભાઈ મોહનભાઈ જાબુંચાની હત્યા કરનારા તેજા મોહનભાઈ જાબુંચા, રતનબેન તેજાભાઈ, અશ્વિન તેજાભાઈ, તુલસી તેજાભાઈ, જેરામ તેજાભાઈને ભાવનગરના પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસ. જજ આર.ટી.વચ્છાણીની કોર્ટે આજીવન કેદની સજા તથા રોકડ દંડની સજા ફટકારી હતી. એ સિવાય શહેરના કાળુભા રોડ પર ત્રણ વર્ષ પૂર્વે તા. 24/10/2019ના રોજ સાંજના સમયે અજય જેમલભાઈ મકવાણાની હત્યા કરનારા અશોક ભનુભાઈ ખીમાણીયાને ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.