ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમી ની શરૂઆત થઈ છે ત્યારે ભિલોડા ગૌ – રક્ષા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અવિરત પણે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવે છે.ખાસ કરીને લુપ્તતા ના આરે એવી ચકલી પક્ષીને એની લુપ્તતા અટકાવવા માટે આ ખાસ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે.
ઉનાળાની સિઝન દરમિયાન અસહ્ય ગરમીમાં ચકલીઓ પાણીના અભાવે મૃત્યુ પામતી હોઈ છે.આ બાબતો ને ધ્યાન માં રાખી ને આ વર્ષે પણ ગૌ – રક્ષા સમિતિ,ભિલોડા દ્વારા 3000 થી વધુ પાણીના કુંડા અને 3000 થી વધુ પક્ષી ઘર નું વિતરણ નારસોલી , નારણપુર , વાંસળી , ભિલોડા કંપા , માંકરોડા , નારસોલી ટાંડા , શાંતિનગર સોસાયટી , તિરૂપતિ સોસાયટી જેવા જુદા જુદા વિસ્તારોમાં સેવાભાવી કાર્યકરોએ પહોંચીને સેવાકીય કામકાજ કરાયું હતું.ગૌ-રક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.