કોરોનાથી મૃત્યુઆંક પર રાજનીતિ થઈ રહી છે. મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એક અંગ્રેજી અખબારના અહેવાલનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર શેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વૈશ્વિક કોવિડ મૃત્યુને સાર્વજનિક કરવાના WHOના પ્રયાસોને અટકાવી રહ્યું છે.
WHO રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વૈશ્વિક કોવિડ મૃત્યુઆંક સાર્વજનિક કરવાના તેમના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. આ પછી કોંગ્રેસ અને TMCના નેતાઓએ સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને TMC નેતા મહુઆ મોઇત્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારની ‘બેદરકારી’ના કારણે કોરોના વાયરસ મહામારી દરમિયાન 40 લાખ ભારતીયોના મોત થયા છે. બીજી તરફ, કોરોનાથી મૃત્યુના આંકડાને લઈને મહુઆ મોઈત્રાએ કહ્યું કે આંકડાઓનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે તેનાથી બચવા માટે કોઈ 56 ઈંચનો માસ્ક પહેરી શકે નહીં. નોંધનીય છે કે, એક અંગ્રેજી અખબારમાં WHOના અહેવાલ બાદ સરકારે તેનો ઇનકાર કર્યો હતો. ભારત સરકારે શનિવારે કહ્યું હતું કે આટલા મોટા ભૌગોલિક કદ અને વસ્તી ધરાવતા દેશ માટે મૃત્યુઆંકનો અંદાજ કાઢવા માટે આવા ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાતો નથી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું
મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એક અંગ્રેજી અખબારના અહેવાલનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર શેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વૈશ્વિક કોવિડ મૃત્યુને સાર્વજનિક કરવાના WHOના પ્રયાસોને અટકાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં આરોપ લગાવ્યો કે, ‘મોદીજી ન તો સાચું બોલે છે અને ન તો બીજાને બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી!’ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડ દરમિયાન સરકારની બેદરકારીને કારણે પાંચ લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. તમારી જવાબદારી નિભાવો, મોદીજીએ પ્રત્યેક (કોવિડ) પીડિત પરિવારને રૂ.4 લાખનું વળતર આપવું જોઈએ.
मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं।
Advertisementवो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा!
Advertisementमैंने पहले भी कहा था – कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई।
Advertisementफ़र्ज़ निभाईये, मोदी जी – हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ
Advertisement— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022
Advertisement
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ નિવેદન બહાર પાડવામાં આવ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 16 એપ્રિલના રોજ ‘ભારત વૈશ્વિક કોવિડ ડેથ ટોલ સાર્વજનિક કરવા માટે WHOના પ્રયાસોને અટકાવી રહ્યું છે’ શીર્ષકના લેખના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું. આમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશે અનેક અવસરો પર વૈશ્વિક આરોગ્ય સંસ્થા સાથે કોરોનાના આંકડામાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ પર પોતાની ચિંતાઓ શેર કરી છે.
WHOએ કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા જણાવ્યા
યુએન હેલ્થ એજન્સીનો અંદાજ છે કે 2021 ના અંત સુધીમાં વાયરસના કારણે 15 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. આમાં નોંધનીય છે કે આ અલગ-અલગ દેશો દ્વારા અલગ-અલગ જાહેર કરાયેલા આંકડા કરતા બમણા છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે WHOના મૂલ્યાંકન મુજબ ભારતમાં કોવિડથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 40 લાખ છે, જે સત્તાવાર આંકડા કરતા આઠ ગણો છે. જેને લઈને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સરકારે કોરોનાથી મૃત્યુના સાચા આંકડા જાહેર કર્યા નથી.