10 પૈકી 6 નીલગાય બચાવી લેવાઈ 4 ના મોત
Advertisement
બાલાસિનોર તાલુકાના સરવરિયા ખાતે ગત રાત્રીના 10 જેટલી નીલ ગાયો કૂવામાં ખાબકી હતી જેની ગ્રામજનોને જાણ થતાં 6 નીલ ગાયને વનવિભાગ સહિત પ્રાણી પ્રેમી ટ્રસ્ટો દ્વારા બચાવી લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના સરવરીયા ખાતે અવઢ કૂવામાં 28 એપ્રિલના રાત્રીના રોજ 10 જેટલી નીલ ગાયો કૂવામાં ખાબકી હતી જેની ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ અને નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા તાત્કાલીક ઘટના જગ્યાએ દોડી આવી પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે અંદાજીત 10 જેટલી નીલગાય કૂવામાં હોવાની જાણવા મળ્યું હતું જેમાંથી રેસ્ક્યુ કરી 6 જેટલી નીલ ગાયોને બચાવી લેવાઈ હતી જ્યારે ૪ જેટલી નિલગાયોના કૂવામાં મોત નિપજ્યા હતા.