ગુજરાતમાં સરકારી અને સહકારી માળખામાં ભરતી પ્રક્રિયામાં સતત વિવાદ સર્જાતો રહે છે ત્યારે તાજેતરમાં લેવાય પીએસઆઈની પ્રિલીમ પરીક્ષાનો વિવાદ ઉભો થયો છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પીએસઆઈની પ્રિલીમ પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ પરીક્ષાનું પરિણામ રિવાઇઝ કરવામાં આવેની માંગ કરી જીલ્લા કલેકટરને આવેદનત્ર આપ્યું હતું પરીક્ષાર્થીઓએ ભરતી બોર્ડે જાહેરાતમાં દર્શાવેલ નિયમનું પાલન ન થયું હોવાનું આક્રોશ પૂર્વક જણાવી નિયમનું પાલન ન થતા અનેક પરીક્ષાર્થીઓનું ભાવી અંધકારમય બન્યું છે.
અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીમાં પીએસઆઇ પ્રિલીમ પરીક્ષામાં પાસ થનાર યુવકોએ જીલ્લા કલેકટરને ઉદ્દેશી એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિ થયું હોવાથી નિયમનું પાલન કરવામાં આવેની માંગ કરી છે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને ભરતી નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે જેથી પ્રાથમિક કસોટીનું પરિણામ રિવાઇઝ કરવામાં આવેની માંગ કરી હતી