ઇન્ટેલિજન્સ બ્યુરો ને મળેલા ઈનપુટને લઈ રાજ્ય ભરની પોલીસ બની સતર્ક
Advertisement
મો. પયંગબર પર કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચ ના આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા આત્મઘાતી હુમલાની ધમકી મળ્યા બાદ રાજસ્થાન બોર્ડર પર ચેકીંગ વધારી દેવા માં આવ્યું છે જિલ્લા એસ. પી દ્વારા એસ. ઓ. જી. ને પણ સતર્ક રહેવા આદેશ આપવા મા આવ્યો છે એને રાત્રી દરમિયાન પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
રાજ્ય મા કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા દરેક સંકાસ્પદ ગતિવિધિ અને લોકો પર નજર રાખવા માં આવી રહી છે.પરપ્રાંતમાંથી ગુજરાતમાં આવતાં વાહનોની સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અંબાજી નજીક માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલી આંતર રાજ્ય સરહદની છાપરી પોલીસ ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવતા વાહનોની સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જોકે હાલમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં કોઈપણ જાતના શંકાસ્પદ વ્યક્તિકે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી આ ચેક પોસ્ટ ઉપર હથીયારી પોલીસ પણ તેનાત કરવામાં આવી છે.